ગુજરાતમાં એક બાજુ વિવિધ ભરતીઓનાં કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજરોજ જાહેરાત કરી હતી કે, સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે.
આ 3300માંથી ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાંટેટ પાસ કરનારા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ સિવાય શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. સાથે જતેમણે કહ્યું કે, વડનગર, અમરેલી, મોરબીમાં ડિપ્લોમામાં કોમ્યુનિકેશનનો કોર્ષ શરૂ કરાશે. આ ઉપરાંત, કન્યા માટેની પોલિટેકનિક કોલેજોમાં પણ ડિપ્લોમામાં અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રધાનમંત્રી ડિજિટલ ભારતના સપનાને સાકાર કરાશે. વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી માટે દિવ્યાંગતાની ટકાવારી ૩ થી વધારી 4 % કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મંજૂરી મળી હોવાની જાહેરાત તેમણે કરી હતી.
શિક્ષણ વિભાગના નિર્ણય :
1. સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય2. વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી માટે દિવ્યાંગતાની ટકાવારી ૩ થી વધારી 4 % કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મંજુરી મળી છે. pic.twitter.com/RkucCeadnP
— Jitu Vaghani (@jitu_vaghani) January 11, 2022
આ પહેલાં યુવા નેતા યુવરાજસિંહ દ્વારા ઊર્જા વિભાગની ભરતી કૌભાંડ વિશે પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેનાં પહેલાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યારે આ પરીક્ષા યોગ્ય રીતે લેવાશે કે કેમ, તે અંગે લોકોમાં સવાલ છે.