Friday, June 9, 2023
Google search engine
HomeGujaratAAP નાં કાર્યકર્તાઓને ગડદાપાટુ- ક્યાંક પોલીસે તો ક્યાંક ભાજપનાં કાર્યકરોએ માર્યાનો આક્ષેપ

AAP નાં કાર્યકર્તાઓને ગડદાપાટુ- ક્યાંક પોલીસે તો ક્યાંક ભાજપનાં કાર્યકરોએ માર્યાનો આક્ષેપ

  • સચિવાલયના બે સિવાય તમામ દરવાજાઓ કરવામાં આવ્યા હતા બંધ
  • ગોપાલ ઇટાલિયા સહિતનાં કાર્યકર્તાઓ પર હાથાપાઇ

ગાંધીનગર: આજરોજ બપોરે ભાજપનાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો. જોકે, અહીં ભાજપનાં કાર્યકરો પણ એકઠાં થયા હતા. સોમવારે બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો.

જોકે, આ ઘટનાને પગલે ભાજપનાં નેતાઓ તાત્કાલિક સચિવાલયથી કમલમ દોડી ગયા હતા, જેમાં હર્ષ સંઘવી પણ પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા.

મહત્વનું છે કે, 12મી ડિસેમ્બરનાં રોજ હેડ ક્લાર્કની પરીક્ષા હતી, જેનું પેપર લીક થતાં હજારો ઉમેદવારોનું ભાવિ ફરી અટવાયું છે. ત્યારે સરકાર દ્વારા આ પગલે હજી સુધી કોઇ ઠોસ કદમ લેવામાં ન આવતાં વિરોધ પક્ષે પ્રદર્શન હાથ ધર્યુ છે.

આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે તેવો પહેલાથી જ સરકારને અણસાર આવી ગયો હતો. જેથી ગાંધીનગર સચિવાલય ખાતે આપ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા આવશે એવી માહિતીના આધારે સરકારે સચિવાલયના બે સિવાયના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments