Tuesday, May 30, 2023
Google search engine
HomeLife-StyleHealthદૂધીનાં છે ફાયદા અનેક- જાણો કેવી રીતે મેદસ્વીતા કરે છે દૂર?

દૂધીનાં છે ફાયદા અનેક- જાણો કેવી રીતે મેદસ્વીતા કરે છે દૂર?

હાલનાં ફાસ્ટ-ફૂડનાં જમાનામાં ઘણાં લોકો મેદસ્વીતાથી પીડાતા હોય છે. જોકે આ તકલીફ તેમનાં ખાન-પાન અને આરોગ્યની બેકાળજી જેવી બાબતો પર આધાર રાખતી હોય છે.

આયુર્વેદમાં આ તકલીફને દૂર કરવા માટેનં ઘણાં નુસ્ખા આપવામાં આવ્યા છે, જેમાંથી એક છે દૂધી!

દૂધીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડન્ટ, કેરેન્ટીન અને પોલિપેટાઇડ છે, જે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે અને તેનાથી વજન ઘટે છે. દૂધીમાંથી એવી તે ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે, જે ન ફક્ત લોહી શુધ્ધ કરે છે, પરંતુ સાથે જ મેદસ્વીતાનું જોખમ પણ ઘટાડે છે. ત્યારે દૂધીનું શાક નિયમિતપણે ખાવું જોઇએ.

આ ઉપરાંત, આજે તમારા માટે એક એવી રેસીપી લઇને આવ્યા છીએ, જેના દ્વારા તમે ઘેરબેઠાં જ હેલ્ધી બની શકશો.

દૂધી અને ગાજરનું જ્યુસ

સામગ્રી

  • 1 દૂધી
  • 1 ગાજર
  • એક કપ પાણી
  • મીઠું સ્વાદાનુસાર

કઇ રીતે બનાવશો?

  • ગાજર અને દૂધીને છીણી લઇ તેને પાણીમાં ઉમેરીને બ્લેન્ડ કરી લો.
  • આ મિશ્રણમાં મીઠું ઉમેરો અને તેને ફરીથી બ્લેન્ડ કરો.
  • તૈયાર થયેલાં આ મિશ્રણને ગાળીને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો.

તો તૈયાર છે ગાજર અને દૂધીનું જ્યુસ!

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments