ભાજપ ગુજરાતનાં સોશિયલ મિડિયા હેન્ડલ દ્વારા દિલ્હીનાં CM કેજરીવાલને લઇને ઘણી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દિલ્હીનાં એજ્યુકેશન સિસ્ટમ પર પણ કટાક્ષ છે. ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ ગુજરાતના શિક્ષણ મંત્રીને પડકાર ફેંક્યાે છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે ડિબેટ કરવા સમય અને સ્થળ નક્કી કરવા કહ્યું છે. બીજેપીના ટ્વીટ બાદ મનિષ સિસોદીયાએ પડકાર ફેંક્યાે છે.
कल से @BJP4Gujarat दिल्ली स्कूलों के ख़िलाफ़ ट्वीट कर रही है। गुजरात में “आप” के बढ़ते प्रभाव और पंजाब चुनाव नतीजों से आपको बौखलाहट हो रही है
भाजपा शिक्षा की बात ना ही करे तो अच्छा है। मैं गुजरात के शिक्षामंत्री @jitu_vaghani जी को डिबेट के लिए चैलेंज करता हूँ। स्थान व समय आपका https://t.co/wTmInNInjP
— Manish Sisodia (@msisodia) March 24, 2022
યજ્ઞેશ દવે એ કહ્યું કે, ઉલટા ચોર કોટવાલને દંડે આ જે કહેવત સિસોદિયાજી સિદ્ધ કરી રહ્યા છે. દીલ્હીના અખબારો આ સમાચાર છપાયા છે. દિલ્હીની એજ્યુકેશન સિસ્ટમમા તકલીફ હતી તેમાં ત્યાંના ટીચરો સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. એ વાતનો જવાબ આપી શકતા નથી અને ઉપરથી ચેલેન્જ કરે છે. ખુલાસો કે જવાબ નથી એટલા માટે આ રીતે વાતો કરે છે.
शिक्षा व्यवस्था पर दिल्ली के शिक्षा मंत्री @msisodia का गुजरात के शिक्षा मंत्री @jitu_vaghani को चुनौती समय व स्थान बताए शिक्षा पर बात करने को तैयार।
ज़वाब का इंतजार रहेगा @jitu_vaghani जी।— Gulab Singh (@GulabMatiala) March 24, 2022
દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાની વાત કરો છો તો તમે ડિબેટ કરો આ ચેલેન્જને સ્વિકારો તેવું આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું. તમે છાપાઓની વાત કરો છો તો ગુજરાતના છાપાઓમાં છપાયું જ છે કે, 18 હજાર ઓરડાઓની ઘટ ગુજરાતમાં છે. 6 હજાર શાળાઓ બંધ છે આ બધી વાતો પણ સામે આવી છે. દિલ્હીના છાપાના છપાય તો સાચું ગુજરાતના છાપામાં છપાય એ ખોટું એમ કહી ગુજરાત બીજેપી પર પ્રહારો કર્યા હતા.