Friday, June 9, 2023
Google search engine
HomeGujaratકોરોનાને ભરખવાની મેરેથોન? ભાજપનાં જ સાંસદે કોરોનાની પરવા વગર દોડાવ્યા હજારો લોકોને

કોરોનાને ભરખવાની મેરેથોન? ભાજપનાં જ સાંસદે કોરોનાની પરવા વગર દોડાવ્યા હજારો લોકોને

એક બાજુ ગુજરાતમાં નેતાઓ અને મુખ્યમંત્રી સુદ્ધા પોતાનાં કાર્યક્રમો રદ કરી રહ્યા છે, ત્યારે વેરાવળમાં ભાજપનાં જ સાંસદે હજારો લોકોને એકઠાં કરીને કોરોના ગાઇડલાઇનને નેવે મૂકી છે.

ગીર સોમનાથ સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં આ મેરેથોન યોજાઇ હતી, જેમાં કોરોનાની ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા આ મેરેથોન યોજાઇ હતી.

એક બાજુ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવામાં સાવધાની રાખવી જરૂરી છે. સરકાર ખુદ લોકોની સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ સરકારના નેતાઓ જ આ નિયમો ભૂલી જાય છે. વેરાવળની ચોપાટી ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. ત્યારે લોકોને સરકારનો સવાલ છે કે આ ઘટના સામે શું યોગ્ય પગલાં લેવાશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments