Friday, June 9, 2023
Google search engine
HomeIndiaINS Ranvir માં ઇન્ટરનલ બ્લાસ્ટ: ત્રણ જવાનો થયા શહીદ

INS Ranvir માં ઇન્ટરનલ બ્લાસ્ટ: ત્રણ જવાનો થયા શહીદ

આજરોજ મુંબઇ નેવલ ડોકયાર્ડમાં દુર્ઘટના ઘટી હતી. નેવલ ડોકયાર્ડ પર રહેલા INS Ranvir માં અચાનક એક બ્લાસ્ટ થતાં ત્રણ નેવી જવાન શહીદ થયા છે. આ ઘટનામાં 11 જવાનો ઘાયલ હોવાનાં પણ અહેવાલ છે.

આ અકસ્માત બાદ ક્રુએ તાત્કાલિક પરિસ્થિતિ પોતાનાં હાથમાં લઇ લીધી હતી, જેથી વધારે જાનહાનિ થઇ નથી. આ ઘટના અંગે બોર્ડ ઓફ ઇન્કવાયરીનાં આદેશ અપાયા છે.

મહત્વનું છે કે, ઇસ્ટર્ન નેવલ કમાન્ડમાં તૈનાત INS Ranvir નવેમ્બર, 2021થી ત્યાં હતું, ત્યારે દરિયાકાંઠાનાં સ્પેશિયલ ઓપરેશન માટે તેને તૈનાત કરવામાં આવ્યું હતું. આજરોજ તેના ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટમાં થયેલા બ્લાસ્ટમાં ત્રણ જવાનો શહીદ થયા છે, ત્યારે ઘાયલ જવાનોને સારવાર માટે તાત્કાલિકપણે ભરતી કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments