Tuesday, May 30, 2023
Google search engine
HomeIndiaકોરોનાના કારણે રેલ્વેમાં બંધ થયેલી તૈયાર ભોજનની સેવા ફરીથી શરૂ

કોરોનાના કારણે રેલ્વેમાં બંધ થયેલી તૈયાર ભોજનની સેવા ફરીથી શરૂ

2020માં માર્ચ મહિનાની અંદર કોરોનાએ લગભગ મોટાભાગનાં પ્રદેશોમાં પોતાનો ભરડો ફેલાવ્યો હતો અને તેના કારણે રેલવેમાં કેટરિંગ સેવાઓ બંધ કરવામાં આવી હતી. સ્થગિત થયેલી આ સેવા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળતાં ફરી શરૂ કરવામાં આવી રહી છે.

લોકોને પડતી મુશ્કેલીઓની એ ધ્યાનમાં રાખી ફરીથી 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં તૈયાર ભોજન મળશે. IRCTC દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખી તમામ ટ્રેનોમાં ભોજન 14 ફેબ્રુઆરી બાદ આપવામાં આવશે.

જોકે આ પહેલાં જ તૈયાર ભોજન અપાતું હતું, પરંતુ તેમાં ભોજનમાં સ્વાદ તેમજ ક્વોલિટીને લઈને મુસાફરોને કોમ્પ્રોમાઇઝ કરીને પણ ખાવું પડતું હતું તે પ્રકારની ફરિયાદો પણ આ પહેલાં મળી છે. હવેથી ફરીથી રેલવેની અંદર કેટરિંગ શરૂ થઈ રહ્યું છે, જેથી IRCTC પ્રવાસી મુસાફરોની જરૂરિયાત અને ધ્યાનમાં રાખી રાંધેલા ભોજનની સેવા ફરી શરૂ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત, રાંધેલું ભોજન રેલવે બોર્ડ તરફથી મળેલી માર્ગદર્શિકા અનુસાર સર્વ કરવામાં આવશે.

આ પહેલા ઘણા કેટરિંગ સાથે જોડાયેલા લોકોને રોજગારી પણ ભોજન બંધ હોવાથી મળશે, જેથી તેઓને પણ પુનઃ રોજગારી મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments