ગતરોજ ગુજરાતનાં ઘણાં ખરાં ભાજપી નેતા પોઝિટિવ આવ્યાનાં સમાચાર હતા, ત્યારે આજરોજ કેન્દ્રમાં પણ ભાજપનાં નેતાઓ પર કોરોનાએ ભરડો લીધો છે.
આજરોજ બપોરે રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ આવ્યાનાં સમાચાર હતા, ત્યારે સાંજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડા પણ કોરોના પોઝિટિવ થયા છે. આ માહિતી તેમણે ટ્વીટ કરીને આપી હતી.
शुरुआती लक्षण दिखने पर मैंने अपना कोविड टेस्ट करवाया।मेरी रिपोर्ट पॉज़िटिव आई है।अभी मैं स्वस्थ महसूस कर रहा हूँ। डॉक्टर्स की सलाह पर मैंने खुद को आइसोलेट कर लिया है।
पिछले कुछ दिनों में जो लोग भी मेरे संपर्क में आए हैं, उनसे अनुरोध है कि अपनी जाँच करवा लें।
— Jagat Prakash Nadda (@JPNadda) January 10, 2022
જેપી નડ્ડાએ જણાવ્યું કે શરૂઆતી લક્ષણો જણાવાથી તેમણે રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. ત્યારે તેઓ જાતે જ આઇસોલેટ થઇ ગયા છે. તેમણે લોકોને અનુરોધ કર્યો છે કે, જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય, તેઓ તપાસ કરાવી લે.
મહત્વનું છે કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે સોમવારે સવારે એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં તેઓ નેગેટિવ હતા. પરંતુ, ડોક્ટરોની સલાહ અનુસાર મુખ્યમંત્રી આઇસોલેશનમાં છે. તો બીજી તરફ કર્ણાટકનાં મુખ્યમંત્રી બાસવરાજ બોમ્માઇ પણ આજરોજ પોઝિટિવ નોંધાયા છે, ત્યારે જોવાનું એ છે કે શું ખરેખર હવે ચૂંટણી પ્રચારમાં ભાજપ રેલીઓને ત્યજશે કે પછી એ જ પ્રથા ચાલુ રાખશે!
I have tested positive for COVID -19 today with mild symptoms. My health is fine, I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Basavaraj S Bommai (@BSBommai) January 10, 2022