થોડાં સમય પહેલાં જ 15 થી 18 વર્ષનાં બાળકો માટે રસીકરણનો કાર્યક્રમ દેશભરમાં ચાલુ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કદાચ રોક લાગી શકે તેમ છે. કારણકે આ રસી અંગે એક ખાસ અપીલ ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આજરોજ સુધી કુલ 2 કરોડ બાળકોને આ રસી આપવામાં આવી છે.
➡️More than 2 Cr Vaccine Doses administered among Adolescents between 15-18 age group.
➡️India’s cumulative vaccination coverage achieves 151.47 crore.https://t.co/STHNfdQmE9 pic.twitter.com/bnpIWhnQ4R
— Ministry of Health (@MoHFW_INDIA) January 8, 2022
આ અંગે આજરોજ ભારત બાયોટેક દ્વારા સરકારને એક ખાસ અપીલ કરવામાં આવી છે. ભારત બાયોટેકે તમામ આરોગ્ય સંભાળ કાર્યકરોને બાળકોને માત્ર કોવેક્સિન રસી આપવા વિનંતી કરી છે અને કહ્યું છે કે, આ વય જૂથ માટે કોવેક્સિન એકમાત્ર માન્ય કોવિડ રસી છે.
આ ખાસ અપીલ અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ જાણ કરી છે કે આ વસ્તી શ્રેણીમાં ફક્ત ‘કોવેક્સિન’ રસી આપવામાં આવશે.
No paracetamol or pain killers are recommended after being vaccinated with Covaxin: Bharat Biotech pic.twitter.com/hPMb3x2dX3
— ANI (@ANI) January 5, 2022