Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratસરકારની તાનાશાહી? પેપર લીકનાં આરોપીઓ માંડ પકડાયા પણ વિરોધી પક્ષનાં કાર્યકરોને રાતોરાત...

સરકારની તાનાશાહી? પેપર લીકનાં આરોપીઓ માંડ પકડાયા પણ વિરોધી પક્ષનાં કાર્યકરોને રાતોરાત નજરકેદ

ગુજરાતમાં છડેચોક કાગડા કાળા દેખાઇ રહ્યા છે, પરંતુ લોકશાહીનાં પ્રચંડ નાદમાં સત્યનો સૂર લોકો સુધી પહોંચશે કે કેમ, તે જોવાનું છે. હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી જ્યારે દેખાવો કરવા પર ઉતર્યુ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તેના કાર્યકર્તાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ગતરોજ ગાંધીનગરમાં પકડવામાં આવેલા AAP નાં નેતાઓને જામીન અપાવવા જનાર વકીલને પણ સ્થાનિક પોલીસ દ્વારા અમદાવાદમાં ડિટેઇન કરવામાં આવ્યા છે. એટલે ખરેખર જોઇએ તો સરકાર ઇચ્છતી નથી કે વિરોધપક્ષ સરખો વિરોધ પણ કરે અને માટે જ લોકશાહીનાં મૂલ્યોનું છડેચોક હનન થઇ રહ્યું છે.

આ ઉપરાંત, ગતરોજ ગાંધીનગર જિલ્લા કોર્ટે AAP ની 28 મહિલા કાર્યકર્તાઓને જામીન ન આપીને સાબરમતી જેલમાં મોકલી આપી હતી. મોટાભાગનાં કાર્યકર્તાઓ પર 10થી વધુ કલમ લગાવવામાં આવી છે.

શું સરકાર આરોપીઓને છાવરી રહી છે? 

પેપર લીક મામલે મોડે-મોડે જાગેલી સરકારને લોકોનો એ જ સવાલ કે શું સરકાર અને તેમનાં હેઠળ કામ કરતી પોલીસ વિરોધપક્ષનાં કાર્યકર્તાઓ પર પગલાં લેવામાં એકદમ એક્ટિવ છે, પરંતુ એ જ પોલીસ જ્યારે આરોપીઓને પકડવાની વાત હતી, ત્યારે કેમ ઢીલાશપણે કામ કરતી હતી?

મહત્વનું છે કે, AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે 3.30 વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ મુદ્દે ભાજપ ચૂપ કેમ?

આ ઘટના બાદ ભાજપ તરફથી કે સરકાર તરફથી પણ કોઇ નિવેદન આવ્યું નથી, ત્યારે લોકોમાં એ પણ ચર્ચા છે કે શું ભાજપ પણ માને છે કે કોઇ મોટી ભૂલ થઇ ગઇ છે? કારણકે જે મીડિયા સેલ રાત-દિવસ પોસ્ટ કરીને સતત ચર્ચામાં રહે છે, તે અચાનકથી આ ઘટના મુદ્દે ચૂપ છે. સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટના બાદ પ્રકાશમાં નથી અને તેમના તરફથી પણ કોઇ નિવેદન નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments