ઉત્તરાખંડમાં આવેલાં પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં આજરોજ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ યાત્રીઓને લઇ જતું હેલિકોપ્ટર ગરુડચટ્ટીમાં ક્રેશ થયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં 7 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં બે પાયલટનો પણ સમાવેશ થાય છે.
ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલોપમેન્ટ ઓથોરિટીનાં જણાવ્યા અનુસાર ઉત્તરાખંડથી ટેક-ઓફ થયેલું આ હેલિકોપ્ટર ગુપ્તકાશી તરફ જઇ રહ્યું હતું, ત્યારે 11:40 એ આ દુર્ઘટના સર્જાઇ.
#UPDATE | Uttarakhand Police and teams of NDRF have reached the spot where the helicopter crashed in Phata.
Six people died in the crash. pic.twitter.com/botDsivuDf
— ANI (@ANI) October 18, 2022
કેદારનાથના દર્શને ગયેલાં એક યાત્રીએ જણાવ્યું હતું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો અને બપોરે માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવી હતી.
આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ દુર્ઘટના બાબતે રાજ્ય સરકાર સંપર્કમાં છીએ અને સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.
helicopter crash in Uttarakhand.#Kedarnath #helicoptercrash pic.twitter.com/CTCOVDFNo6
— sunny pawan (@SunnySunnypawan) October 18, 2022