Thursday, June 8, 2023
Google search engine
HomeIndiaદેશનાં જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું આજરોજ પૂણેમાં નિધન

દેશનાં જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું આજરોજ પૂણેમાં નિધન

‘હમારા બજાજા’ થી ઘેર-ઘેર જાણીતી બનેલી બજાજ બ્રાન્ડનાં ભૂતપૂર્વ ચેરમેન રાહુલ બજાજનું આજરોજ નિધન થયું છે. રાહુલ બજાજે વર્ષ 1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તેઓ ગાંધીજીનાં પાંચમાં પુત્ર તરીકે ઓળખતાં જમનાલાલ બજાજનાં પૌત્ર હતા.

બજાજની જવાબદારી સંભાળ્યા બાદ વર્ષ 1980ના દાયકામાં બજાજ ટૂ વ્હીલર બનાવનારી સૌથી મોટી કંપની બની. રાહુલ બજાજે બજાજ સ્કૂટરને ઘરે-ઘરે પહોંચાડ્યું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે;

“શ્રી રાહુલ બજાજજીને વાણિજ્ય અને ઉદ્યોગની દુનિયામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે યાદ કરવામાં આવશે. વ્યવસાય ઉપરાંત, તેઓ સમુદાય સેવા પ્રત્યે ઉત્સાહી હતા અને એક મહાન વાર્તાલાપવાદી હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments