Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratજૂનાગઢનાં પ્રખ્યાત સંત એવા કાશ્મીરી બાપુ થયા બ્રહ્મલીન: ભક્તો ઉમટ્યા અંતિમ દર્શનાર્થે

જૂનાગઢનાં પ્રખ્યાત સંત એવા કાશ્મીરી બાપુ થયા બ્રહ્મલીન: ભક્તો ઉમટ્યા અંતિમ દર્શનાર્થે

જૂનાગઢ: આજરોજ ગુજરાતનાં સંત સમુદાયમાં પણ એક એવા મહાત્માએ વિદાય લીધી છે, જેમની ખોટ પૂરી શકાય તેમ નથી. જૂનાગઢ તપોભૂમિનાં સંત એવા કાશ્મીરી બાપુ આજરોજ બ્રહ્મલીન થયા છે. આ બનાવથી સમગ્ર સંત સમાજ ઘેરા શોકમાં ડૂબી ચૂક્યો છે.

આવતીકાલે 11 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિશ્વફલક પર ગિરનારની તપોભૂમિને પહોંચાડનાર કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાંથી તેમને આશ્રમ લઇ જવાયા હતા, જ્યાં આજરોજ તેમનું અવસાન થયું છે.

પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ તેમને સોશિયલ મિડિયા થકી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments