Tuesday, May 30, 2023
Google search engine
HomeIndiaઆ પંજાબી અભિનેતાની ચિર વિદાય, ખેડૂત આંદોલનમાં પ્રકાશમાં આવ્યો હતા આ અભિનેતા

આ પંજાબી અભિનેતાની ચિર વિદાય, ખેડૂત આંદોલનમાં પ્રકાશમાં આવ્યો હતા આ અભિનેતા

પંજાબી ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આજરોજ હરિયાણા ખાતે એક ગંભીર માર્ગ અકસ્માતમાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધનું મૃત્યુ થયું છે. અગાઉ ખેડૂત આંદોલનમાં ચર્ચામાં રહેલા દીપ સિદ્ધુ તેની સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યો હતો એ દરમિયાન દિલ્હી નજીક સોનીપતના ખરખોદા પાસે તેમની કારનો કન્ટેનર સાથે ટકરાયા બાદ અકસ્માત થયો હતો.

કારમાં તેની સાથે બે મિત્રો પણ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં આ ત્રણેયને ઈજા થઈ હતી. જેમાં દીપ સિદ્ધુનું મૃત્યુ થયું છે.

26મી જાન્યુઆરીની પરેડથી આવ્યા હતા પ્રકાશમાં

કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ 26 જાન્યુઆરીએ યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં દીપ એ ભાગ લીધો હતો. પંજાબનો ફેમસ અભિનેતા હવે આપણી વચ્ચે નથી રહ્યો. તેના ફેન્સ ને પણ શોકનો ઘેરો આઘાત લાગ્યો છે. પંજાબમાં ફેમસ હતો આ અભિનેતા સોશિયલ મીડિયામાં પણ તેના મોટા ફેન ફોલોવર હતા.
દિલ્હીના લાલ કિલ્લામાં થયેલી હિંસા કેસમાં પણ તેનું નામ સામે આવતા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો ત્યાર બાદ જામીન પર મુક્ત કરાયો હતો. દીપ આ રીતે ચર્ચામાં આવ્યા બાદ વધુ ફેમસ થયો હતો.
આ માર્ગ અકસ્માત દિલ્હી નજીક થયો હતો. અકસ્માત સર્જાયા અફરા તફરી મચી ગઇ હતી. દીપ પોતે સફેદ રંગની સ્કોર્પિયો ચલાવી રહ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments