Monday, May 29, 2023
Google search engine
HomeSportsTest Championship squad: જાણો, રવિ શાસ્ત્રીએ ભારતીય ટેસ્ટ ટીમ માટે શું કોમેન્ટ...

Test Championship squad: જાણો, રવિ શાસ્ત્રીએ ભારતીય ટેસ્ટ ટીમ માટે શું કોમેન્ટ કરી?

ક્રિકેટનાં ઉત્સવ સમા IPL વચ્ચે ગતરોજ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. મહત્વનું છે કે, આગામી સાતમી જૂને આ ફાઇનલ મેચ રમાવવાની છે, જે ઇંગ્લેન્ડમાં રમવામાં આવશે.

આ પહેલાં ટીમમાંથી અજિંક્ય રહાણેને બહાર કરવામાં આવ્યા હતા, જ્યારબાદ ફરીથી તેમને સામેલ કરવામાં આવ્યા છે. ટીમનાં અન્ય ખેલાડીઓમાં જાણો કોણ-કોણ સમાવિષ્ટ છે?

રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ નિભાવશે, જ્યારે બેટ્સમેનમાં શુભમન ગીલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કે. ભરત અને લોકેશ રાહુલનો સમાવેશ થાય છે. બોલર્સની વાત કરીએ તો સ્પિન એટેકમાં જાડેજા, અશ્વિન અને અક્ષર પટેલની ત્રિપુટી પસંદ કરાઇ છે, જ્યારે પેસ બોલર્સમાં મોહમ્મદ સિરાજ, શમી, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

BCCI નાં સિલેક્ટર્સ દ્વારા પસંદ કરવામાં આવેલી આ ટીમને રવિ શાસ્ત્રીએ પરફેક્ટ ટીમ ગણાવી છે. તેમણે ટ્વિટ કરી હતી કે, “Best Indian team selected. Well done selectors and team management.”

 

ટીમમાં વાપસી કરી રહેલાં રહાણેએ છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરી 2022ના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમ્યો હતો. આ મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેને ભારત વિરુદ્ધ 82 ટેસ્ટમાં 38.52ની એવરેજથી 4932 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેણે 12 સદી અને 25 અડધી સદી ફટકારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments